મનોજ અંબિકે છેલ્લા 24થી અધિક વરસોથી વ્યક્તિત્વ વિકાસ, મનોવિજ્ઞાન તથા સર્વાંગી વિકાસ આદિ વિષયો પર કાર્યરત છે. તે અલગ અલગ વિષય પર માર્ગદર્શન આપી રહ્યા છે. તમામ વયના તથા બધા ક્ષેત્રના બે લાખથી અધિક લોકોને તાલીમ આપી છે. ‘ઉછેરમંત્ર માતા—પિતા માટે, બાળકોની બુદ્ધિમત્તા વિકસિત કરવાની 21 પદ્ધતિ’ જેવા પુસ્તકના તે લેખક છે. તેમણે વિભિન્ન વિષયો પર 20 થી અધિક પુસ્તકોનું લેખનકાર્ય કરેલ છે.
આ એક એવું પુસ્તક છે કે જેને પ્રત્યેક માતા-પિતા, દાદા-દાદી, નાના-નાની અને શિક્ષકોએ વાંચવા-વસાવવા લાયક છે. એવી આદતો જે પ્રત્યેક બાળકમાં હોવી જોઈએ. શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બૌદ્ધિક, સામાજિક તથા ભાવનાત્મક રૂપથી શક્તિ પ્રદાન કરનાર આદતો. આ આદતો બાળકને શું બોધ આપશે? આ આદતો બાળકમાં કેવી રીતે પાડીશું? સારી આદતો કેવી રીતે નિર્મિત કરીશું?