મનોજ અંબિકે છેલ્લાં પચીસ વર્ષોથી વ્યક્તિત્વવિકાસ, મનોવિજ્ઞાન તથા સર્વાંગી વિકાસ જેવા વિષયો પર કામ કરતાં રહ્યાં છે. એ દરેક વિષય પર અલગ અલગ રીતે માર્ગદર્શન આપતાં આવ્યાં છે. પ્રત્યેક વયજુથ તથા વિવિધ ક્ષેત્રોના બે લાખથી વધુ વ્યક્તિઓને તેમણે પ્રશિક્ષિત કર્યાં છે. ‘બચ્ચોં કે ૧૦૧ પ્રભાવી આદતે’ તથા ‘બચ્ચોંકી બુદ્ધિક્ષમતા વિકસિત કરનેકે ૨૧ તરીકે’ જેવા બેસ્ટસેલર પુસ્તકોના આ લેખકે અન્ય વિષયો પર પણ અનેક પુસ્તકો લખ્યાં છે. પ્રત્યેક માતા - પિતા, દાદા - દાદી, નાના - નાની અને શિક્ષકોએ વાંચવું જ પડે એવું પુસ્તક... • બાળકોના જિદ્દીપણાને કેવી રીતે દૂર કરાય? • બાળકોએ વાલીઓનું સાંભળવું જોઈએ? • બાળકોનાં મનને જાણવાની ટેકનિક • બાળકોને ટી. વી. જોતાં કેવી રીતે રોકી શકાય? • બાળકો વાંચશે ક્યારે? • બાળકોની બુદ્ધિશક્તિ કેવી રીતે વિકસાવી શકાય? • બાળકોના વ્યક્તિત્વનો વિકાસ કેવી રીતે? • બાળકો માટે આવશ્યક ૨૧ ગુણ • વાલીઓના વિવિધ સંઘ